રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “શ્રી લક્ષ્મણ ટાઉનશીપ” માં આઝાદીની થીમ આધારિત પતંગોત્સવ યોજાયો

હિન્દ ન્યુઝ, રાજકોટ

વર્ષ ૨૦૨૧ માં ભારતે આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ કર્યા, જે દરેક માટે ગર્વની વાત છે. આઝાદીની ચળવળ, ભારતની ઐતિહાસિક સભ્યતા અને સંસ્કૃતિ વિશે આજની યુવા પેઢી તથા દેશના નાગરિકોમાં જાગૃતતા ફેલાય થાય તેવા ઉમદા આશયથી ભારત સરકાર દ્વારા ભારતની આઝાદીના ૭૫ વર્ષે એટલે કે ૨૦૨૧ થી “આઝાદી કા અમૃત મહોત્સવ” ની ઉજવણી કરવાનું નકકી કરવામાં આવ્યુ. આ ઉજવણીની શરૂઆત દેશના માનનીય વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ૧૨ માર્ચ ૨૦૨૧ના રોજ દાંડી યાત્રાથી કરવામાં આવેલ છે. “આઝાદી કા અમૃત મહોત્સવ” ની ઉજવણી ૭૫ અઠવાડીયા સુધી કરવામાં આવનાર છે.

“આઝાદી કા અમૃત મહોત્સવ” ના ભાગ રૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા. ૦૧/૦૮/૨૦૨૨ ના રોજ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનાવવામાં આવેલ “શ્રી લક્ષ્મણ ટાઉનશીપ” માં આઝાદીની થીમ આધારિત પતંગોત્સવનું આયોજન કરવામાં આવેલ. જેમાં આવાસ યોજનાના લાભાર્થીઓને પતંગ અને ફીરકીઓ આપવામાં આવેલ. લાભાર્થીઓ દ્વારા આ પતંગોત્સવમાં ઉત્સાહપૂર્ણ ભાગ લઈને આ આયોજન ને સફળ બનાવેલ

Related posts

Leave a Comment